Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામચંદ્ર ગુહાએ માંગ્યુ રાહુલ ગાંધીનું રાજીનામુ, કહ્યુ રાહુલે આત્મસન્માન પણ ગુમાવ્યુ

લોકસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસીક જીત બાદ કોંગ્રેસ ભારે નામોશી થઇ છે. ૨૦૧૪માં ૪૪ બેઠક અને હવે ૫૨ બેઠક મળ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠવા લાગ્યા છે. જાણીતા ઇતિહાસકાર અને ગત પાંચ વર્ષમાં ઘણી વખત મોદી સરકાર પર સવાલ ઉઠાવનારા રામચંદ્ર ગુહાએ પણ હવે રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા છે.રામચંદ્ર ગુહાએ ટિ્‌વટ કરીને લખ્યું કે તેઓ હેરાન છે કે હજુ સુધી રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું નથી. તેમની પાર્ટીએ આ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું છે.. તેઓ પોતાની બેઠક પણ હારી ગયા. ગુહાએ આગળ લખ્યું કે રાહુલ ગાંધીએ પોતાનું આત્મસન્માન, રાજકીય પક્ષ બંનેને ગુમાવ્યા છે. જેથી કોંગ્રેસને હવે એક નવા નેતૃત્વની જરૂરિયાત છે. પરંતુ કોંગ્રેસની પાસે તે પણ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી રાજીનામાની ઓફર કરી ચુક્યા છે. પરંતુ તેના પર ૨૫ મેના રોજ યોજાનારી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ચર્ચા થશે.

Related posts

भारत और चीन के बीच स्थिति विस्फोटक…! टैंक, मिसाइल, तोप, युद्धक विमानों ने कसी कमर!

editor

દાતી મહારાજની સામે લુકઆઉટ સરક્યુલર જારી

aapnugujarat

જીએસટી લાગુ થયા બાદ એલપીજી ગેસ સિલિન્ડર થશે સસ્તા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1