ચુંવાળિયા ઠાકોર યુવા નવનિર્માણ સેના (42 ભાલ નળકાંઠા) દ્વારા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નળકાંઠા વિસ્તારમાં આવેલા રાજવાળા, ઝાંપ ખાતે ચુંવાળીયા ઠાકોર સમાજના સમુહ લગ્નોત્સવ યોજાયો હતો અને નવ દંપતીઓએ પ્રભુતામા પગલા માંડી લગ્ન જીવનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિરમગામ, સાણંદ, બાવળા, વિરમગામ ધોળકા તાલુકા સહીતના ચુંવાળીયા ઠાકોર સમાજના આગેવાનો, લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા