Aapnu Gujarat
ગુજરાત

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, રામોલ સામૂહિક દુષ્કર્મકાંડમાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને સરકાર નહીં છોડે

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદના રામોલમાં થયેલ સામુહિક દુષ્કર્મકાંડ માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. ઘટનામાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર બક્ષવા માગતી નથી. પીડીતાને સત્વરે ન્યાય મળે તે માટે પ્રથમ દિવસથી જ સારવાર લીધી ત્યારથી પોલીસ રક્ષણ સાથે પૂરતી તકેદારી રાખીને યોગ્ય સારવાર અપાઇ હતી.અધૂરી માહિતી આપવામાં આવેલ હોવાથી ઘટનાની તપાસમાં થોડો વિલંબ થયો છે. ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, પીડીતાને ઝડપથી સારવાર – ન્યાય મળે તે માટે સંબંધિતોને સૂચના આપી હતી. અને રાજ્ય સરકારને તાકીદના ધોરણે પગલા લઇને સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી. જેના પરિણામે ત્રણ આરોપીઓની ઘરપકડ કરી દેવાઇ છે.પીડીતાને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ૧૮૧ અભયમ્‌ હેલ્પ લાઇનના માધ્યમ દ્વારા પણ કાઉન્સીલીંગ કરીને માનસિક રીતે તૈયાર કરીને ફરીયાદ દાખલ કરવા પોલીસ વિભાગ દ્વારા પ્રેરીત કરી હતી. પોલીસે સામેથી જઇને તેણીને પૂરેપૂરી મદદ કરીને સારવાર અપાવી હતી. તેણીના માતા-પિતા દ્વારા એલ.જી. હોસ્પિટલના બદલે અન્ય જગ્યાએ સારવારની માંગ કરાતા તે સમયે પણ પોલીસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે શિફ્ટ કરીને જનરલ વોર્ડના બદલે આઇ.સી.યું.માં દાખલ કરીને પૂરતી સારવાર આપવામાં આવી હતી.સારવાર દરમ્યાન પીડીતા ગર્ભવતી હતી, પીડીતાએ ગર્ભ પાડવા માટે વધુ પડતી ગર્ભ નિરોધક દવાઓ લીધી હતી, જેના કારણે પીડીતાના પેટમાં બાળકનું મૃત્યુ થયું હતું. જેના પરિણામે પીડીતાની હાલત વધુ નાજૂક બની હતી અને તેણીના શરીરમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ થતા તેનું મોત નીપજ્યું હતું. પીડીતાને સત્વરે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસ હાથ ધરાયા છે.
મંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર દુષ્કર્મકાંડની તપાસ અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘના માર્ગદર્શન અને સતત મોનીટરીંગ હેઠળ ઝોન -૫ના પોલીસ કમિશ્નર અક્ષય રાજની નિગરાની હેઠળ થઇ રહી છે. તપાસ દરમ્યાન આરોપી અંકિત પારેખ, ચિરાગ વાઘેલા, રાજેશકુમાર ઉર્ફે રાજ સુથાર સહિત ત્રણ વ્યક્તિઓની ઘરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઇ છે. તે સમયે ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા મહિલાનું કાઉન્સીંલીંગ કરીને તેમણી હાજરીમાં પોલીસ ફરીયાદ દાખલ કરાઇ હતી. ત્યારબાદ ભોગ બનનારનું ડાઇંગ ડેક્લેરેશન એકઝયુકીટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં લેવાયું હતું. ત્યારબાદ સારવાર સમયે સી.આર.પી.સી. -૧૬૪ હેઠળ પીડીતાનું નિવેદન ડૉ. હરીમિશ્રાની ઉપસ્થિતિમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લેવાયું હતું. તેમજ પીડીતાના અને ઘરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓના ડીએનએના સેમ્પલ લઇને પણ એફએસએલમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે, ઉપરાંત એક આરોપી હાર્દિક જે ભાગેડુ જાહેર કરાયો છે તેના માતા-પિતાના સેમ્પલ લઇને પણ એફએસએલમાં પણ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાનું મૃત બાળક હતું જે દાટી દેવાયું હતું. તેનું પણ મેજીસ્ટ્રેટની મંજૂરી લઇને ડૉક્ટરની હાજરીમાં બહાર કાઢીને ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પૃથ્થકરણના કારણો આવ્યા બાદ રાજ્ય સરકાર સત્વરે પગલાં ભરીને દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયાસો કરશે. તેમાં કોઇ કચાશ રખાશે નહિ તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, જે ચોથો આરોપી ભાગેડુ જાહેર કરાયો છે. તેને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર તપાસ દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલીઝન્સ તથા પોલીસ વિભાગ દ્વારા ખંત પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

મુખ્યમંત્રીશ્રીને  ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ૮૦.૮ર લાખનો  ડિવીડન્ડ ચેક અર્પણ

aapnugujarat

किसानों के मुद्दे पर कांग्रेस का राज्य में रास्ता रोको आंदोलन

aapnugujarat

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસકર્મીને ફટકાર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1