કડોદરા સ્થિત શાંતિનગરમાં આવેલા સંતોષ પ્રજાપતિના મકાનમાં રહેતી ૩૨ વર્ષીય સુનીતાદેવી રામરાજ મિશ્રા જે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનિતાદેવી છેલ્લાં ૭ વર્ષથી તેના પતિને છોડીને તેના કૌટુંબિક દિયર સત્યજીત વિક્રમાજીત મિશ્રા સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા. ત્યારબાદ થોડા દિવસ અગાઉ સુનિતાદેવીને અન્ય કોઇ પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સત્યજીત મિશ્રાને છોડીને તેની પ્રથમ પત્ની સાથે રહેવા ચાલ્યો હતો. હતો.
ત્યારે સુનિતાદેવીએ સત્યાજીત મિશ્રાને શાંતિથી રહેવા દેવા માટે પણ આજીજી કરી હતી. જેથી સત્યજીતને આ વાતની અદાવત રાખી સુનિતાદેવી કડોદરા સીએનજી પંપ પાસે નેશનલ હાઇવના સર્વિસ રોડ ઉપરથી પસાર થતી હતી. ત્યારે સત્યજીત તેણીના ચહેરા ઉપર તેજાબ નાખી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ ઘટનામાં સુનિતાદેવી ગંભીર રીતે દાજી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સુનિતાદેવીનો મોઢાનો મોટો ભાગ દાઝી ગયો હતો. સુનિતાદેવીએ સત્યજીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.