Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ મુદ્દે કેગનો અહેવાલ સરકાર માટે કૃપા ગુણ સમાનઃ અહેમદ પટેલ

કોંગ્રેસના ખજાનચી અને સિનિયર નેતા અહેમદ પટેલે ટ્‌વીટ કરીને કેગના અહેવાલને સરકાર માટે કૃપા ગુણ સમાન ગણાવ્યો છે. ગઈકાલે સંસદમાં કેગનો અહેવાલ રાફેલ વિમાનના મુદ્દે પ્રસ્તુત થયો હતો. આ અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે રાફેલ વિમાનની ખરીદીમાં કોઈ ગેરરીતી થઈ નથી. ઉલ્ટાનું કેગે પોતાના અહેવાલમાં ટાક્યું છે કે આ ડીલ ગત સરકારની ડીલ કરતાં ૩ ટકા સસ્તી છે.
કેગના અહેવાલમાં રાફેલ વિમાનનો સોદો પ્રતિ વિમાન કેટલા રૂપિયામાં થયો તેનો ઉલ્લેખ ન હોવાથી હજુ પણ કોંગ્રેસને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ ટાંક્યુ હતું કે રાફેલમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો. જોકે, આ અહેવાલને કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કૃપા ગુણ સમાન ગણાવ્યો અને નિયમોમાં છેડછાડ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો
અહેમદ પટેલે ટ્‌વીટમાં જણાવ્યું હતું કે જેમ શાળામાં માસ્તર એક વિદ્યાર્થીને ધરારથી પાસ કરવા માટે પરીક્ષાના નિયમોમાં પરિવર્તન કરે તેવી રીતે કેગ માટે રાફેલની માહિતીમાં ગેરરિતી કરવામાં આવી છે.

Related posts

जलवायु परिवर्तन से हिमालयी क्षेत्र में पानी की किल्लत होगी

aapnugujarat

ભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે મેચ માટે તખ્તો તૈયાર

aapnugujarat

NIA पंजाब में आतंकी गुरपतवंत सिंह पन्नु व हरदीप सिंह निज्जर की सम्पत्तियां करेगी कुर्क

editor

Leave a Comment

UA-96247877-1