Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુલાયમસિંહની ઉંમર થઇ ગઇ,તેમને ખબર નથી રહેતી કે શું બોલે છે : રાબડી દેવી

મુલાયમ સિંહ યાદવે બુધવારે લોકસભામાં વડાપ્રધાન મોદી અંગે જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના નેતા રાબરી દેવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મુલાયમની ઉંમર થઇ ગઇ છે.
રાબરી દેવીએ મુલાયમ સિંહ અંગે જણાવ્યું હતું કે, તેમની હવે ઉંમર થઇ ગઇ છે અને તેમને ખબર નથી કે કયારે શું બોલવું. તેઓ જે બોલ્યા છે એનું કોઇ મહત્વ નથી રહેતું.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા મુલાયમ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને. એટલું જ નહી તેમણે જણાવ્યું હતું કે, જે સભ્યો આ વખતે જીતીને આવ્યા છે તેઓ ફરીથી જીતીને આવે. મુલાયમ સિંહના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ તો પ્રસન્ન થઇ ગયા હતા પરંતુ એસપીના નેતાઓ મુલાયમ સિંહને લાલા આંખે જોઇ રહ્યા હતા.

Related posts

कांग्रेस का प्रधानमंत्री मोदी पर तंज: पीएम केयर्स फंड को लेकर पूछे 10 सवाल

editor

वीरभद्र सिंह की तबियत बिगड़ी, आईजीएमसी में भर्ती

aapnugujarat

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આવતીકાલે દિલ્હીની આકરી પરીક્ષા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1