તા. ૧૦-૦૨-૨૦૧૯ને રવિવારનાં રોજ લીંબડી ખાતે સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા દ્વારા આયોજિત અનુસુચિત જાતિનો તૃતિય સમુહ લગ્ન પ્રસંગ ઉજવાયો હતો જેમાં આદરણીય શ્રી ઝાંઝરકાના ગાદીપતિ અને રાજ્યસભાના સાંસદ શ્રી શંભુનાથ બાપુએ ૮૪ નવદંપતિને આશીર્વાદ આયાં હતાં. આ શુભ પ્રસંગે માનનીય ગૌતમભાઈ ગેડિયા ચેરમેનશ્રી આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ શ્રી શંકરભાઈ દલવાડી ચેરમેનશ્રી હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ શ્રી કિરીટસિંહ રાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર તેમજ બાબુભાઈ જિનવાલા ઉદ્યોગપતિ શ્રી કરસનભાઈ ટુંડિયા ઉદ્યોગપતિ શ્રી રાજભા દરબાર શિયાણી ગામ તેમજ અનેક દાતાશ્રીઓએ પોતાની સેવા અને સમય આપી સામાજિક સમરસતાનું ઉદાહરણ આપ્યું હતું.
આગળની પોસ્ટ