Aapnu Gujarat
Uncategorized

શ્રી સ્વામિનારાયણ મંદિર દિયોદર દ્વારા આયોજિત હરિદ્વારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની પૂર્ણાહુતિ

પરમ કૃપાળુ ઇષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરમ કૃપાથી તથા અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધીપતિ પરમ પૂજ્ય ધ.ધુ.આચાર્ય ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી એવમ ધર્મકુળના આશીર્વાદથી તથા સ.ગુ મહત્તા હરિકૃષ્ણદાસજી કાલુપુર મંદિર મહંતની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર દિયોદર બનાસકાંઠા દ્વારા દેવભૂમિ એવા હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાનો પ્રારંભ તારીખ ૧૬/૦૯/૨૦૧૯ રોજ થયો હતો . આ શ્રીમદ ભાગવત કથા શ્રીમદ ભાગવત કથા અમૃત પાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, ગંગા પૂજન, પવિત્ર ભૂદેવો દ્વારા પિતૃતર્પણ, ગંગા સ્નાન ,સમૂહ મહાપુજા, સંહિતા પાઠ, સુંદરકાંડ, હાસ્ય દરબાર ભજન સંધ્યા વગેરે જેવા અનેક વિવિધ આનંદ અવસર યોજાયા હતા. આ કથાની રવિવારે પૂર્ણાહુતિ થઇ હતી. જોકે આ કથાના વક્તા શ્રી સ.ગુ શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપ દાસજી ગાંધીનગર અને સભા સંચાલન કોઠારી સ.ગુ શાસ્ત્રી નારાયણમુનિદાસજી અમદાવાદ દ્વારા કથાનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

બિહારમાં પિતાની સામે પુત્રી પર છ લોકોએ દુષ્કર્મ આચર્યુ

aapnugujarat

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગણતંત્રપર્વની કરવામાં આવી ઉજવણી

editor

गुजरात कांग्रेस के पूर्व अध्यक्ष भरतसिंह सोलंकी कोरोना पॉजिटिव

editor

Leave a Comment

UA-96247877-1