ચેતેશ્વર પુજારા અને શેલ્ડન જૈક્સનની મદદથી સૌરાષ્ટ્રની ટીમે ફરી ત્રીજી વખત રણજી ટ્રોફીની ફાઇનલ મેચમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ મેચ દરમિયાન નોટઆઉટ રહીને પુજારા અને જૈક્સને ક્રમશ ૧૩૧ રન અને ૧૦૦ રનની ઇનિંગ રમી હતી.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ રણજી ટ્રોફીની સેમીફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે, કર્ણાટકને ૫ વિકેટથી માત આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રણજી ટ્રોફીની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમનો સામનો વિદર્ભ સાથે થશે.
સૌરાષ્ટ્રની ટીમની જીત પાછળ પુજારા અને જૈક્સનની ૨૧૪ રનની ભાગીદારી નિર્ણાયક સાબીત થઇ છે. મેચના ચોથા દિવસે મેચ પૂર્ણ થતા સુધીમાં ટીમે ૨૨૪ રન બનાવ્યા હતા અને જીતવા માટે ૫૫ રનની જરૂર હતી. સૌરાષ્ટ્રની ટીમે મેચના અંતિમ દિવસે પાંચ વિકેટના નુકસાન સાથે ૨૭૯ રનનો લક્ષ્યાંક હાસલ કરી લીધો હતો.
સૌરાષ્ટ્રની ટીમે પહેલી વિકેટ તરીકે પ્રથમ ઓવરમાં જ બેસ્ટમેન હાર્વિક દેસાઇની વિકેટ ગુમાવી હતી, જે અભિમન્યુ મિથુનના બોલ પર આઉટ થયો હતો. જ્યાર પછી વિનય કુમારે વિકેટકીપર અને બેસ્ટમેન સ્નેલ પટેલ અને વિશ્વરાજ જાડેજાને પવેલિયન ભેગા કરી સૌરાષ્ટ્રને મોટો ઝટકો આપ્યો હતો. જોકે પુજારા અને જૈક્સને મળીને ટીમને જીત તફર પહોંચાડી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ