પ્રિયંકા ચોપરા બોલિવૂડ અને ઇન્ડિયન સિનેમાને ગુડબાય કહેશે એમ જણાય છે, કમસેકમ અત્યારના સમયે તો એમ જ જણાય છે. સોર્સીસ અનુસાર આ એક્ટ્રેસ ઇન્ડિયામાં તેના છેલ્લા એક્ટિંગ પ્રોજેક્ટ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’નું છેલ્લું શેડ્યૂલ કમ્પ્લીટ કરશે. એના પછી તેણે ઇન્ડિયામાં કોઈ નવો એક્ટિંગ પ્રોજેક્ટ સાઇન કર્યો નથી.
એક સોર્સે કહ્યું હતું કે, ‘સંજય લીલા ભણસાળીની સાથે તેની વાતચીત ચાલતી હતી. આમિર ખાન જ્યારે રાકેશ શર્માની બાયોપિક કરવાનો હતો ત્યારે એ સમયે પ્રિયંકાનો વિચાર કરવામાં આવ્યો હતો. જોકે, શાહરુખ આ પ્રોજેક્ટમાં જોડાવાની સાથે જ તે આઉટ થઈ ગઈ હતી. જોકે, હજી પ્રિયંકાના ફેન્સ માટે આશા છે. વાસ્તવમાં શાહરુખ રાકેશ શર્માની બાયોપિકમાંથી નીકળી ગયો છે. એવા સમયે પ્રિયંકા ફરી આ બાયોપિકમાં સામેલ થઈ શકે છે. કેમ કે, આ બાયોપિકના એક કો-પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂરની સાથે તેનો ખૂબ જ સારો રેપો છે કે જેઓ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ને પણ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
આગળની પોસ્ટ