વેરાવળ શ્રી અયપ્પા મંદિર વાર્ષીક પૂજા મહોત્સવ નિમિત્તે કેરાળાથી સૌપર્ણીકા કલાક્ષેત્રના શ્રી મુરલીધરન તથા ટીમ આવેલ, જે ગૃપ દ્વારા શ્રી સોમનાથ મંદિર નૃત્યમંડપ ખાતે ચેન્ડામેલમ્ જે કેરાળા નું પારંપરીક વાદ્ય છે, આ પારંપરીક વાદ્યથી શ્રી સોમનાથ મહાદેવને સુરઅભિષેક કરેલ હતો. આ કાર્યક્રમનો લ્હાવો ઉપસ્થીત ભક્તોએ લીધેલ હતો. આયોજનને સફળ બનાવવા ઉદય મેનન તથા ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ. શ્રી મુરલીધરન તથા ટીમ નું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ