Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ મંદિર ના બન્યું તો દેશમાં વિદ્રોહ થઈ શકેઃ રામદેવ

યોગગુરુ બાબા રામદેવે રામ મંદિરને લઈને મહત્વનું નિવેદન કર્યું છે. બાબા રામદેવે જણાવ્યું કે મંદિર નિર્માણનો માર્ગ કોર્ટમાંથી નહીં નિકળે પરંતુ સંસદ થઈને નિકળશે. સ્વામી રામદેવે જણાવ્યું કે રામ મંદિર નિર્માણનો માર્ગ સંસદમાંથી જ ખુલશે.હરિદ્વારમાં કોર્પોરેશનની યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરવા આવેલા બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખરા રામ ભક્ત ગણાવ્યા હતા. બાબા રામદેવ સાથે તેમના સહયોગી બાલકૃષ્ણ પણ હાજર હતા. બાબાએ જણાવ્યું કે રામ મંદિર નિર્માણ માટે સંસદ પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સંસદ અને કોર્ટ જો રામ મંદિર નિર્મામમાં નિષ્ફળ જશે તો દેશમાં વિદ્રોહ થઈ શકે છે.અગાઉ વારાણસીમાં પણ રામદવે જણાવ્યું હતું કે રામ મંદિર નહીં બને તો દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળાઈ શકે છે અને સામાજીક વૈમનસ્ય ઊભું થશે. બાબા રામદેવે જણાવ્યું હતું કે રામ મંદિરના મુદ્દે અત્યારે નહીં, તો ક્યારેય નહીં જેવા વલણ સાથે કામ કરવું પડશે.વારાણસીમાં બાબા રામદેવે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે મંદિરનો મુદ્દો સમજૂતિના તબક્કામાંથી નિકળી ગયો છે હવે સંસદમાં કાયદો લાવો અને મંદિરનું નિર્માણ બનાવવાની જોગવાઈ પર કામ કરવું પડશે.

Related posts

आय से अधिक संपत्ति का मामला : पत्नी के साथ कोर्ट में पेश हुए हिमाचल के मुख्यमंत्री वीरभद्र सिंह

aapnugujarat

भारत में २० करोड़ वाहनों के सामने केवल ७२ हजार ट्रैफिक पुलिस

aapnugujarat

મુંબઈના ઘાટકોપરમાં એક ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1