Aapnu Gujarat
ગુજરાત

મોદી, અડવાણી અને ભાગવત હિન્દુઓના ગદ્દાર : ડૉ.પ્રવીણ તોગડિયા

ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા સાથે સાચા હિંદુ સેવકોની સરકાર ચૂંટવા માટે પ્રચાર-પ્રસાર કરવા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના નેતા ડો. પ્રવીણ તોગડિયાએ હાકલ કરી છે.
આજે ગાંધીનગરમાં સેકટર-૭ ખાતે ભારત માતાના મંદિરે આવેલા ડો.પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં થયેલા વિલંબ સામે રોષ વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત લાલકૃષ્ણ અડવાણી તેમજ આરએસએસના વડા મોહન ભાગવતને હિન્દુઓના ગદ્દાર ગણાવી તેમના વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા આજે ગાંધીનગરમાં સેકટર-૭ ખાતે નિર્માણ પામી રહેલા ભારત માતાના મંદિરે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સ્નેહમિલન સમારંભમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો.પ્રવીણ તોગડિયાએ હિન્દુત્વ સહીત અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને હિંદુ સરકારની વાતો કરી હતી. જેમાં ડો.પ્રવીણ તોગડિયાએ દરેક કાર્યકર્તાઓને ઘરે ઘરે ફરી સાચા હિંદુ સેવકોની સરકાર ચૂંટવા હાકલ કરી હતી. આ માટે દરેક કાર્યકરોને ઘરે ઘરે ફરી પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે ડો.પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં થયેલા વિલંબ બાબતે કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યકત કર્યો હતો. તેમણે રામ મંદિરની ઝુંબેશને વધુ વેગવાન બનાવવવા જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગાંધીનગરના સંસદસભ્ય લાલકૃષ્ણ અડવાણી તેમજ આરએસએસના વડા મોહન ભાગવતને હિન્દુઓના ગદ્દાર ગણાવી તેમની સામે આકરા પ્રહારો કર્યા હતા. ડો.પ્રવીણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ઉપક્રમે દરેક ઘરે જઈ હિંદુ સંસ્કૃતિ અને હિંદુ રાષ્ટ્ર અંગેની પુસ્તિકા આપવા પણ જણાવ્યું હતું. તેમણે કાર્યકરોના આ સ્નેહમિલન સમારંભમાં હિંદુ રાષ્ટ્ર અને હિંદુ સરકાર અંગે છણાવટપૂર્વક માર્ગદર્શન આપી સૌ કાર્યકરોને હિંદુ રાષ્ટ્ર માટે કમર કસવા કહ્યું હતું. આ કાર્યક્રમ પછી ડો. પ્રવીણ તોગડિયા સેકટર-૨૧માં તેમના એક મિત્રના ઘરે ભોજન લેવા ગયા હતા.

Related posts

બાવળિયાને આવ્યું દિલ્હીથી તેડું

aapnugujarat

જેતપુર જિલ્લા-તાલુકા અને નગરપાલિકા કેસરિયા રંગે રંગાયું

editor

नोटबंदी और जीएसटी से देश को अभूतपूर्व नुकसान : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1