પરમકૃપાળું માં પરમેશ્વરી આદ્યશક્તિ જગત જનની માઁ અંબાજીની ભક્તિમાં રસમય થવાનો શુભકાળ એટલે નવરાત્રી. તા.13.10.2018 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજી પૂજન, સ્તુતી પાઠ મધ્યાન્હ 3-30 થી સાંય 6-30 દરમ્યાન યોજાશે. તેમજ રાત્રે 9-00 કલાકે સરદાર ચોક સોમનાથ મંદિર ખાતે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરેલ છે. જેમાં ખેલૈયાઓને પારંપરિક વસ્ત્ર પરિધાનમાં રાસોત્સવમાં અને આદ્યશક્તિની આરાધના સૌ ધર્મપ્રેમી ભક્તોને જોડાવવા શ્રી સોમનાથ ટ્રસ્ટનું હાર્દિક નિમંત્રણ છે.
મહેન્દ્ર ટાંક સોમનાથ