Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘આયુષ્યમાન ભારત’ યોજના માટે દેશમાં કોલ સેન્ટર ખુલશે

દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈંશ્યોરન્સ સ્કીમ આયુષ્માન ભારત માટે સરકાર દેશભરમાં કોલ સેન્ટર ખોલવા જઈ રહી છે. આ સપ્તાહે કોલ સેન્ટર નંબરને જાહેર કરી દેવામાં આવશે. ૧૪૫૫૫ નંબર પર ફોન કરીને આયુષ્માન ભારત સ્કીમ સંબંધિત કોઈપણ જાણકારીને પ્રાપ્ત કરી શકાશે. આગામી ૨૫ સપ્ટેમ્બરથી આયુષ્માન ભારત સ્કીમને દેશભરમાં લોન્ચ કરી દેવામાં આવશે.
શરુઆતના સમયગાળામાં દેશના ૬ ઝોનમાં કોલ સેન્ટર લગાવવામાં આવશે. આમાં યૂપી, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ અને સેન્ટ્રલ ઝોનનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ રાજ્ય પોતાની જરુરિયાત અનુસાર કોલ સેન્ટરનો વિસ્તાર કરી શકે છે. અત્યારે આ છ ઝોનના કોલ સેન્ટરમાં ૨૦૦ કર્મચારીઓ ૨૪ કલાક કામ કરશે. અને ત્યારબાદ તેમની સંખ્યા વધારવામાં પણ આવી શકે છે. કોલ સેન્ટરમાં ફોન કરીને લાભાર્થી પોતાની નજીકની હોસ્પીટલથી લઈને યોજના સાથે જોડાયેલી તમામ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. કોલ સેન્ટર ત્રણ નેશનલ હોલીડે ને બાદ કરતા તમામ દિવસ ૨૪ કલાક કામ કરશે. આ સપ્તાહે જ કોલ સેન્ટર ખોલવાનું કામ શરુ થઈ જશે તો આ સીવાય અન્ય મહત્વની વાત કરીએ તો આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલા કોલ સેન્ટરમાં નોકરી કરવા માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશનનું ક્વોલીફીકેશન જરુરી છે. કુલ ૨૦૦ ભરતી કોલ સેન્ટર માટે અત્યારે કરવાની છે. જો કે બાદમાં કોલ સેન્ટરના કર્મચારીઓની સંખ્યા વધારીને ૫૦૦ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કોલ સેન્ટરના કર્મચારીઓ પાસેથી ઈ-મેઈલ અને ઈ-ચેટના માધ્યમથી આયુષ્માન ભારત યોજનાની જાણકારી પ્રાપ્ત કરી શકાશે. દેશના ૧૦ લાખ એવા પરિવારો કે જેઓ ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે અથવા તો તાજેતરમાં જ ગરીબી રેખાની ઉપર આવ્યા છે તેમને કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે. આ અંતર્ગત સરકાર તેમના બીમાર પડવા પર ઈલાજ માટે ૫ લાખ રુપિયા સુધીનો ખર્ચ કરશે. યોજનાનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી. બીમારીના ઈલાજ માટે માત્ર ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે.

Related posts

દિલ્હીનાં સંસ્કાર આશ્રમ ફોર ગર્લ્સમાંથી ૯ યુવતીઓ લાપતા

aapnugujarat

યુપીમાં ૧૦ ટકા અનામત અમલી કરવા લીલીઝંડી

aapnugujarat

चमकी बुखार से मरने वालों में ८०÷ बच्चियां

aapnugujarat

Leave a Comment

UA-96247877-1