કોંગ્રેસનાં સિનિયર નેતા ગુરૂદાસ કામતનું ૬૩ વર્ષની વયે આજે વહેલી સવારે હૃદયરોગનાં હુમલાને કારણે નિધન થયું છે, તેઓને દિલ્હીની પ્રાઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ગુરૂદાસ કામતનાં અંતિમ દર્શન માટે સોનિયા ગાંધી હોસ્પિટલ પહોંચ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ગુરૂદાસ કામત મનમોહન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનાં સભ્ય હતાં અને નોર્થ વેસ્ટ મુંબઈથી ૨૦૧૪ સુધી સાંસદ રહ્યાં હતાં. ગુરૂદાસ ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી અને દીવનાં પ્રભારી રહ્યાં હતાં.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ