દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સ્વ. અટલબિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. આ સભામાં સર્વ પક્ષના આગેવાનોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, સરસંઘચાલક મોહન ભાગવત, ગુલામનબી આઝાદ, રામવિલાસ પાસવાન, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, બાબા રામદેવ, અન્નાદુરાઈ, મહેબુબા મુફ્તિ સૈયદ અને ફારૂખ અબ્દુલ્લા સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ફારૂખ અબ્દુલ્લાએ પોતાની શૈલીમાં શ્રદ્ધા સુમન આપી અંતમાં ભારતમાતાની જય અને વંદે માતરમનાં નારા લગાવી લોકોને ભારત માતામય બનાવી દીધા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ