દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં આજે અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં ખુબ વધારે પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી સર્જાઈ ગઈ હતી.
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદના લીધે લોકો આજે સવારથી લઇને સાંજ સુધી મુશ્કેલીમાં દેખાયા હતા. જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવા, ઇમારતોના હિસ્સે ધરાશાયી થવા અને માર્ગોમાં ગાબડા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ઇન્દિરાપુરમમાં તંત્રની લાપરવાહીના કારણે એકનું મોત થયું છે. કરંટ લાગવાથી ૩૪ વર્ષના આ યુવકનું મોત થયું છે. ઇન્દિરાપુરમના શિકરા સનસિટી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ભારે વરસાદ થઇ રહ્યો હતો ત્યારે સરોજ કાંદા નામનો આ શખ્સ પોતાની પુત્રીને સ્કુલ મુકવા માટે બહાર નિકળ્યો હતો. ઘણા સમય સુધી સ્કુલ બસ સ્ટેન્ડ ઉપર પહોંચી ન હતી ત્યારે તે બાળકીને લઇને તે પરત ઘરે આવી રહ્યો હતો. રસ્તામાં ખુલ્લા તાર ઉપર પગ પડવાના કારણે તેને કરંટ લાગતા મોત થયું હતું. બીજી બાજુ ગાઝિયાબાદમાં એક ઇમારત ધરાશાયી થતાં એકને ઇજા થઇ છે.
ગ્રેટર નોઇડામાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. ઘણી જગ્યાએ વાહનો સંપૂર્ણપણે ડુબી ગયા હતા. નોઇડા, ગાઝિયાબાદ અને ઉત્તરપ્રદેશ તથા દિલ્હીમાં સરહદી વિસ્તારમાં રહેતા લોકોને સૌથી વધારે તકલીફ પડી હતી. રસ્તાઓ તળાવોમાં ફેરવાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ કાર પણ તણાઈ ગઈ હતી. ટ્રાફિક પોલીસની ગતિવિધિ પણ કામ લાગી ન હતી. ઘુંટણ સુધી અને કેટલીક જગ્યાએ તેના કરતા પણ વધુ પાણી ભરાયા હતા. કાલકાજી એક્સેન્ટશન નોઇડા જવાના રસ્તા પર સામાન્યરીતે ૨૫ મિનિટ લાગે છે પરંતુ આજે બે કલાકથી વધુ સમય સુધી આજે લોકો અટવાયા હતા. ભારે વરસાદના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ ગઇ હતી. જામના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. બીજી બાજુ ગ્રેટર નોઇડા વિસ્તારમાં એક ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ જતા તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. કાટમાળ હેઠળથી હજુ સુધી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવી ચુક્યા છે. ગાજીપુર મુર્ગા મંડી, ખજુરી ચોક અને મોદી મિલની નજીક ફ્લાય ઓવરની નીચે પાણી ભરાઇ જવાના કારણે લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડતા લોકો પરેશાન દેખાયા હતા. દિલ્હી અને એનસીઆરમાં હાલના દિવસોમાં સારો વરસાદ થઇ રહ્યો છે. જો કે તંત્રની બેદરકારી સ્પષ્ટપણે સપાટી પર આવી રહી છે. ગ્રેટર નોઇડા વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં કેટલા લોકો ફસાયા છે તે અંગે
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ