ભાવનગર જિલ્લા ભાજપનાં પૂર્વ સફાઈ કામદાર સેલના સહ કન્વીનર અશોક બી. વેગડ (વિલિયમ) દ્વારા પાલીતાણા નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રેહમરાહે નોકરીની પરિપત્ર મુજબ રજુઆત કરતાં પા. નગરપાલિકાનાં સફાઈ કામદાર દેવાયતભાઈ રણછોડભાઇ ડોડીયાનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થતાં તેમનાં સીધી લીટીના વારસદાર મનહરભાઇ ડી. ડોડીયાને પાલીતાણા નગર પાલિકાના પ્રમુખે સામાન્ય સભામાં રેહમરાહે નોકરી માટે નિમણૂંક કરવાનો ઠરાવ સર્વાનુમતે કરીને આજરોજ પ્રમુખની ચેમ્બરમાં જયપાલસિંહ ગોહિલ, ચીફ ઓફિસર જે. આર. દવે, શહેર ભાજપ પ્રમુખ નિતીન ચૌહાણ, નગર સેવક ઓમદેવસિંહ સરવૈયા તથા વાલ્મીકિ સમાજના આગેવાન અશોક વેગડ તથા પાલીતાણાના સતિષ એન. ડોડીયા, મનોજ એમ. ડોડીયા સહિતની હાજરીમાં મનહર દેવાયતભાઈ ડોડીયાને ફિક્સ પગારમાં સફાઈ કામદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે, તેથી પાલીતાણા વાલ્મીકિ સમાજ હર્ષની લાગણી અનુભવે છે.
આગળની પોસ્ટ