Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખરાબ હવામાન વચ્ચે અમરનાથ શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ઉપર પ્રતિકુળ અસર થઇ છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આના પરિણામ સ્વરુપે બંને જગ્યાએથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલતાલમાં યાત્રાને રોકી દેવામાં આવી છે. દરમિયાન અમરનાથ શ્રદ્ધાળુઓ માટે ૫૩૮૨ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના થયો છે. કાશ્મીર ખીણમાં અધિકારીઓએ ખરાબ હવામાન હોવાના લીધે યાત્રાને રોકી દીધી છે. પોલીસે કહ્યું છે કે, બાલતાલ અને પહેલગામ બંને બેઝકેમ્પ ખાતે યાત્રા રોકી દેવામાં આવી છે. બીજી બાજુ ૫૩૮૨ શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનગર નિવાસથી રવાના થઇ ચુક્યા છે. ૨૦૩૦ જેટલા શ્રદ્ધાળુઓ પહેલગામ અને ૧૬૭૮ શ્રદ્ધાળુ બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ખરાબ હવામાનના લીધે અમરનાથ યાત્રીઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંને માર્ગો ઉપર રસ્તા ખરાબ થઇ ગયા છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. ખરાબ હવામાનના લીધે પહેલા દિવસે માત્ર ૧૦૦૭ શ્રદ્ધાળુ પવિત્ર ગુફામાં બનનાર શિવલિંગના દર્શન કરી શક્યા હતા. હજુ સુધી ૫૪૮૩૩ શ્રદ્ધાળુ અમરનાથની યાત્રા કરી ચુક્યા છે. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે.  આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવ્યા છે.

યાત્રામાં હજુ સુધી ૧૧ શ્રદ્ધાળુના મોત
વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભારે ઉત્સાહ વચ્ચે જારી છે પરંતુ જમ્મુ કાશ્મીરના ગંદરબાલ જિલ્લામાં ભેખડ પડતા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે અમરનાથ યાત્રાના બાલટાલવાળા રસ્તા પર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હતા. જેમાં અન્ય ત્રણ ઘાયલ પણ થયા છે. બાલટાલ રૂટ પર રેલપત્રી અને બ્રારી માર્ગ વચ્ચે ભેખડો ધસી પડવાની ઘટના બની છે. અમરનાથ યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૧ના મોત થયા છે. સોમવાર અને મંગળવારના દિવસે જુદા જુદા કારણોસર ત્રણ લોકોના મોત થયા હતા. વાર્ષિક અમરનાથ યાત્રા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. આ વખતે અન્ય વર્ષોની સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો ગયા બુધવારના દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જોડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આંધ્રપ્રદેશમાં ફિવાલાયમના શ્રદ્ધાળુઓ ધોટા રાગમ નામની ૭૫ વર્ષીય મહિલાનું બાલતાલ આધારસિવિકમાં મોત થયું છે. રસોડામાં તેમનું મોત થયું હતું. હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હોવાના અહેવાલ મળ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશના અનંતપોરામાં રાધાકૃષ્ણ શાસ્ત્રીનું ગુફા નજીક સંગમમાં એટેકના કારણે મોત થયું હતું.

Related posts

દલિત અને મહિલાઓ ઉપર અત્યાચાર મુદ્દે મોદી મૌન છે : રાહુલ ગાંધી

aapnugujarat

बिहार चुनाव : पटना जाएंगे शिवसेना नेता संजय राउत

editor

મોદી કેબિનેટે ચાર મહત્વની યોજનાઓને લીલીઝંડી આપી

editor

Leave a Comment

UA-96247877-1