Aapnu Gujarat
Uncategorized

સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં બીજા દિવસે થયેલ વરસાદ

દિલ્હી અને એનસીઆર વિસ્તારની સાથે સાથે આજે ગુજરાતના જુદા જુદા ભાગોમાં સતત બીજા દિવસે પણ વરસાદ થયો હતો. હળવા વરસાદી ઝાપટા જારી રહ્યા હતા. આજે જામખંભાળિયાના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવા ઝાપટા પડ્યા હતા. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઉપર સર્જાયેલા મોર્નિંગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના લીધે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, રાજકોટ અને જામનગરમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. આજે સૌથી વધારે ગરમીનો અનુભવ સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં પારો ૪૧.૩ ડિગ્રી સુધી રહ્યો હતો. હિટવેવની કોઇ ચેતવણી તંત્ર તરફથી જારી કરાઈ નથી પરંતુ ગરમીનો અનુભવ જોરદારરીતે થઇ રહ્યો છે જેથી ચક્કર આવવાના, બેભાન થવાના, પેટમાં દુખાવો થવાના, બ્લડપ્રેશરના ઇમરજન્સી કેસોમાં વધારો થયો છે. અમદાવાદમાં ઇમરજન્સી કેસોમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ગરમીના લીધે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. લોકો બપોરના ગાળામાં ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. દિવસ દરમિયાન ગરમ પવનો ફુંકાઈ રહ્યા છે. અલબત્ત સાંજે આંશિક રાહત જોવા મળી રહી છે.પવનોની ગતિ અને પદ્ધતિ બદલાઈ રહી છે.હવામાન વિભાગ તરફથી એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થનાર નથી. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન આંશિક રીતે વધીને ૪૦ ડિગ્રી રહ્યુ હતુ. એટલે કે ગઇકાલની તુલનામાં વધારો થયો હતો. બીજી બાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૩.૨ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીના પ્રમાણમાં વધારો થતાં લોકો ગરમીનો અનુભવ જોરદાર રીતે કરી રહ્યા છે. હાલમાં વધારે સાવધાન રહેવાની જરૂર દેખાઇ રહી છે. બિનજરૂરીરીતે ઘરની બહાર ન નિકળવાની સલાહ નિષ્ણાંત તબીબો આપી રહ્યા છે. આ ઉપરાંત બહારની કોઇ ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવાની પણ સલાહ લોકો આપી રહ્યા છે. તાપમાનમાં સતત ફેરફારના કારણે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ઉચા તાપમાનને લઇને કોઇ ેચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી ગરમી વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે.આજે દિવસ દરમિયાન આંશિક વાદળછાયુ વાતાવરણ રહેતા લોકોને તીવ્ર તાપથી રાહત મળી હતી. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૩૧ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૭૨૭, કમળાના ૧૯૬, ટાઇફોઇડના ૨૭૯ કેસ સપાટી ઉપર આવ્યા હતા. જ્યારે માર્ચ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૬ કેસ નોંધાયા હતા.

Related posts

ન્યૂ યરમાં પ્રવાસીઓથી ઉભરાયું ગીર જંગલ

editor

કેસર કેરીનો પાક મોડો આવવાની સંભાવના

aapnugujarat

અમદાવાદમાં ૫૦ સેન્ટરમા રસીકરણની વેગવંતી કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1