આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા સોમનાથ આવતાં ભાવિક ભક્તોનાં આરોગ્યની તપાસણી કરાઈ હતી જેમાં ખાસ કરીને બી.પી. અને શુગર ચૅક કરવામાં આવ્યું હતું. આ સરાહનીય કામગીરીમાં ઉર્મિલાબેન ઝાલા અને પાયલોટ કુલદીપસિંહ વાંકે મહત્વની કામગીરી બજાવી હતી જેને સ્થાનિક લોકોએ પણ બિરદાવી છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (સોમનાથ)