Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટકનાં લોકાયુક્ત પર હુમલો : હુમલાખોર પકડાયો

કર્ણાટકમાં લોકોયુક્ત પી વિશ્વનાથ શેટ્ટીને તેમની જ ઓફિસમાં ઘુસીને ચપ્પુ મારી દીધું. આ ઘટના પછી તાત્કાલિક ધોરણે તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પરિસ્થિતિ ગંભીર છે. પોલિસે આરોપીની ધરપકડ કરી લીધી છે. વિશ્વનાથ શેટ્ટીને ચપ્પા વડે ઈજા પહોંચાડનાર આરોપીની ઓળખ તેજસ શર્મા તરીકે કરવામાં આવી છે. લોકાયુક્ત પર હુમલો તે સમયે થયો જ્યારે તેઓ પોતાની ઓફિસમાં બેસીને એક કેસની સુનવણી કરી રહ્યાં હતાં.જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ ધારદાર હથિયાર વડે પી વિશ્વનાથ પર ત્રણ વખત હુમલો કર્યો હતો. આરોપી વિરુદ્ધ લોકાયુક્તમાં ૧૮ કેસ દાખલ છે તેવું જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પી વિશ્વનાથ શેટ્ટી કર્ણાટકની હાઈકોર્ટમાં જજ તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યાં છે.

Related posts

વિજયવાડામાં કોવિડ કેર સેન્ટરમાં આગ : ૯ દર્દી ભૂંજાયા

editor

કોરોનાનો ખાત્મો કરવા લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે : પ્રજ્ઞા ઠાકુર

editor

8 વર્ષમાં 2.46 લાખ લોકોએ પાસપોર્ટ સરન્ડર કરી દીધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1