Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણીમાં ભાજપને ઉલટા આસન કરાવશે પ્રજા : અખિલેશ

કોંગ્રેસ સાથે ગઠબંધન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પ્રચાર અભિયાન હેઠળ પ્રથમ વખત કોંગ્રેસ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, અચ્છે દિન નો જૂઠો વાયદો કરનાર અને નોટબંધીના રસ્તે દેશને પાછળ ધકેલનાર ભાજપને રાજ્યની પ્રજા આગામી વિધાનસભા ચૂંટણીમાં લાંબી-લાંબી લાઇનો લગાવી ઉલ્ટા આસાન કરાવશે.ધૌરહરાથી એસપીના ઉમેદવારના સમર્થનમાં આયોજિત જનસભામાં ભાજપ પર નિશાન સાધતા અખિલેશ યાદવે કહ્યું કે, ૨૦૧૪માં અમે લોકોને કેવી રીતે ગુમરાહ કર્યા હતા. અમે તો મુશ્કેલીવાળા દિવસ જોઇ લીધા, લાઇનમાં ઉભા રહી પરેશાનીવાળા દિવસ પણ જોઇ લીધા, બતાવો અચ્છે દિન ક્યાં છે.
નોટબંધીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અમને લાગ્યું કે, દેશ આગળ વધશે પરંતુ, આ લોકોએ નોટબંધી કરીને દેશને પાછળ ધકેલી દીધું. આંકડા તેના સાક્ષી છે. ભ્રષ્ટાચાર ખત્મ કરવાની વાત કરીને નોટબંધી ખતમ કરવાની વાત કરી નોટબંધી દરમિયાન ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ જમામ કરવામાં પણ ભ્રષ્ટાચાર થઇ ગયો.
સમગ્ર દેશ લાઇનમાં લાગી ગયો. જ્યારે અમે માત્ર લાઇનમાં ઉભા રહેવાના બદલે મૃતકોના પરિજનોને મદદ કરી.અખિલેશે ભાજપ પર પ્રહાર ચાલુ રાખતા કહ્યું કે, ભાજપે જે યોગ કરાવ્યો, જેમાં એક ઉલ્ટુ આસન પણ હોય છે. આ વખતની ચૂંટણીમાં ભાજપની વિરુદ્વ મતદાન કરનારાઓની લાંબી લાંબી લાઇનો લાગશે અને તેઓ ભાજપને ઉલ્ટા આસાન કરાવશે. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો છેડતા કહ્યું કે, ભાજપે સર્જિકલ સ્ટ્રાઇક કરીને સીમા પર અનેક જવાનોને શહીદ કરાવી દીધા. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, કોઇ બતાવે કે ભાજપ સરકારે એ જવાનોના ઘરવાળાઓને શું મદદ કરી? રાજ્યની એસપી સરકારે શહિદોના પરિજનોને ૨૫-૨૫ લાખ રૂપિયાની મદદ કર્યાનું પણ તેમણે કહ્યું હતું.

Related posts

યુપીમાં સુરક્ષા કથળી : પ્રિયંકા ગાંધી

editor

દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં બે ત્રાસવાદીઓ ઠાર મરાયા

aapnugujarat

गुजरात चुनाव : कैसे हुआ राहुल गांधी का मेक ओवर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1