Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં પઠાણકોટ જેવા હુમલા કરાવી શકે છે હાફિઝ સઇદ, બોર્ડર પર હાઇ-એલર્ટ

ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને મુંબઇ હુમાલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ જેલમાંથી મુક્ત થયા બાદ ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરું રચી રહ્યો છે. હવે રિપોટ્‌ર્સ છે કે, હાફિઝ સઇદ ભારતમાં પઠાણકોટ જેવા હુમલા કરવાનું કાવતરું કરી રહ્યો છે.  ગુપ્તચર એજન્સી રિપોટ્‌ર્સ આપ્યા છે કે જમ્મુ અને પંજાબમાં પાક સીમા સાથે સંકળાયેલા વિસ્તારોમાંથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે. સુત્રો અનુસાર, પાકિસ્તાની રેન્જર આતંકવાદી ઘૂસણખોરી દરમિયાન કવર ફાયરિંગ કરી મદદ કરી શકે છે. હાફિઝ સઇદ નજરકેદમાંથી મુક્ત થયા પછી પઠાણકોટ જેવા મોટા એટેકની પ્લાનિંગમાં લાગી ગયો છે.  ગુપ્તચર એજન્સીના રિપોટ્‌ર્સ બાદ ઇન્ટરનેશનલ બોર્ડર પર હાઇ એલર્ટ છે.સીમા પર ધૂમ્મસનો લાભ લઇ આતંકવાદી ભારતમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.હાફિઝ સઇદ આતંકવાદી સંગઠન જમાન-ઉદ-દાવાનો ચીફ છે.  આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સંસ્થાપક છે. ૧૩ ડિસેમ્બર ૨૦૦૧માં સંસદ પર થયેલા હુમલાનું કાવતરું રચવામાં આ સામેલ હતો.  ૧૧ જૂલાઇ ૨૦૦૬ એ મુંબઇની ટ્રેનોમાં થયેલા ધમાકામાં પણ આનો હાથ હતો અને મુંબઇમાં ૨૬/૧૧ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ હુમલામાં ૧૬૭ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. હાઇઝ સઇદ માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં વૉન્ટેડ છે.

Related posts

सुरक्षा हटाने को लेकर नीतीश सरकार पर बरसीं राबड़ी देवी

aapnugujarat

न्यू यॉर्क: 4 डी फैक्टर से प्रधानमंत्री मोदी ने सुनाई भारत के विकास की कहानी

aapnugujarat

किसान दिवस पर बोले रक्षामंत्री, ‘सरकार अन्नदाताओं से कर रही बात, जल्द वापस लेंगे आंदोलन’

editor

Leave a Comment

UA-96247877-1