અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકની શુક્રવારનાં રોજ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેઓ અલગતાવાદીઓ દ્વારા અનંતનાગમાં બોલાવવામાં આવેલ વિરોધ રેલીમાં શામેલ થવા માટે ઘરથી બહાર નીકળ્યા હતાં. હાલમાં મીરવાઇઝને ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે.શુક્રવારનાં રોજ જ્યારે મીરવાઇઝ ઘરની બહાર નિગીન સ્થિત પોતાના ઘરથી બહાર નીકળ્યા, ત્યાં પહેલાથી જ હાજર સુરક્ષાબળોએ તેમની ધરપકડ કરી લીધી હતી અને ફરીથી તેમને ઘરમાં જ નજરકેદ કરી લીધા. તમને જણાવી દઇએ કે, અલગતાવાદીઓએ શુક્રવારનાં રોજ અનંતનાગમાં શહેરીજનોને એકજૂટ થવા માટે વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. હુરિયત નેતાએ પહેલાથી જ ટિ્વટર પર ટ્વીટ કરીને અનંતનાગમાં જવાની ઘોષણા કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે, અધિકારીયોએ અનતનાગ અને શ્રીનગર શહેરમાં કોઇ પણ પ્રકારની રેલીને રોકવા માટે છ પોલીસ સ્ટેસન વિસ્તારમાં કોઇએ રેલી ન નીકાળવાની ઘોષણા કરી હતી.