Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અલગાવવાદી નેતા મીરવાઇઝની સુરક્ષાદળે કરી ધરપકડ

અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકની શુક્રવારનાં રોજ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેઓ અલગતાવાદીઓ દ્વારા અનંતનાગમાં બોલાવવામાં આવેલ વિરોધ રેલીમાં શામેલ થવા માટે ઘરથી બહાર નીકળ્યા હતાં. હાલમાં મીરવાઇઝને ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે.શુક્રવારનાં રોજ જ્યારે મીરવાઇઝ ઘરની બહાર નિગીન સ્થિત પોતાના ઘરથી બહાર નીકળ્યા, ત્યાં પહેલાથી જ હાજર સુરક્ષાબળોએ તેમની ધરપકડ કરી લીધી હતી અને ફરીથી તેમને ઘરમાં જ નજરકેદ કરી લીધા. તમને જણાવી દઇએ કે, અલગતાવાદીઓએ શુક્રવારનાં રોજ અનંતનાગમાં શહેરીજનોને એકજૂટ થવા માટે વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. હુરિયત નેતાએ પહેલાથી જ ટિ્‌વટર પર ટ્‌વીટ કરીને અનંતનાગમાં જવાની ઘોષણા કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે, અધિકારીયોએ અનતનાગ અને શ્રીનગર શહેરમાં કોઇ પણ પ્રકારની રેલીને રોકવા માટે છ પોલીસ સ્ટેસન વિસ્તારમાં કોઇએ રેલી ન નીકાળવાની ઘોષણા કરી હતી.

Related posts

ભારત બંધ હિંસક : છથી વધુના મોત, જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ

aapnugujarat

No one being forced to raise ‘Jai Shri Ram’ slogans, nothing to feel bad about such chants : UP CM

editor

દેવ ગૌડાનો પૌત્ર મહિલાઓને સ્ટોર રૂમમાં બોલાવતો, 3000 અશ્લિલ વીડિયો બનાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1