Aapnu Gujarat
Uncategorized

કેશુભાઈને મોદીએ અને આનંદીબેનને શાહે હેરાન કર્યાં : ઇન્દ્રનીલ રાજ્યગુરુ

રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિજય રૂપાણી સામે ચૂંટણી લડી રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિkuજય રૂપાણી પર સીધા આક્ષેપો કર્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુ હતું કે, વિજય રૂપાણીની જે ઓડિયો ક્લિપ સોશીયલ મીડિયામાં વાઇરલ થઈ છે તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપ જાતિવાદની રાજનીતિ કરે છે.પ્રધાનમંત્રી મોદી પર સીધા આક્ષેપો કરતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણમાં કહે છે કે, ૪ પાટીદાર મુખ્યમંત્રીઓને કોંગ્રેસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. જો કે હકીકત એ છે કે, કેશુભાઈ પટેલને ખુદ નરેન્દ્ર મોદી દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. જ્યારે આનંદીબેનના રાજીનામાં પાછળ ખુદ ભાજપ અધ્યક્ષ અમિત શાહનો હાથ છે. ત્યારે તેમણે કોંગ્રેસ પર કરેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાનું તેમણે જણાવ્યુ હતું.

Related posts

અમદાવાદમાં ખરીદી માટે ભીડ ઉમટી ફરી કેસ વધવાનું જોખમ

editor

લગ્ન પ્રસંગમાં લાઉડ સ્પીકર ઘોડિયા પર પડતા ૬ મહિનાની બાળકીનું મોત

aapnugujarat

Gandhi Jayanti : UN महासचिव बोले- गांधीजी ने इतिहास बदल दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1