રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે સુશીલ મોદીને પોતાના દીકરાનું લગ્ન સ્થળ બદલવાના નિર્ણય પર મજાક કરી હતી. તેમણે કહ્યુ કે, સુશીલ મોદી તમે તો બહુ જ ડરપોક નીકળ્યા, તેજપ્રતાપનાં ફૂંફાડાથી જ ડરી ગયા.
તો બીજી તરફ, બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને લાલુ પ્રસાદ યાદવનો દીકરા તેજપ્રતાપ યાદવે પણ મજાકમાં કહ્યું કે, મોદીજી, ચિંતા ન કરો અને આરામથી તમારી દીકરાના લગ્ન કરો.તેજપ્રતાપે સુશીલ કુમાર મોદીને દીકરાના લગ્નને બહાને પોતાને એટલે કે તેજપ્રતાપને બદનામ ન કરવાની પણ સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવે સુશીલ કુમાર મોદીને કહ્યુ હતું કે, તેમના દીકરાના લગ્નસમારોહવાળા સ્થળ પર ધૂસીને મારશે. આ ધમકી બાદ સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને સુશીલ કુમારે દીકરા ઉત્કર્ષના લગ્ન સમારોહનું સ્થળ બદલવાનો નિર્ણય લીધો હતો. પહેલા લગ્ન સમારોહ ૩ ડિસેમ્બરના રોજ રાજેન્દ્ર નગર સ્થિત શાખા મેદાનમાં યોજાવાનો હતો, પરંતુ હવે તે બદલીને પટના એરપોર્ટની નજીક વેટરનરી કોલેજના મેદાનમાં કરવામાં આવ્યો છે.તેજપ્રતાપે આજે સુશીલ મોદીન મેસેજ આપતા કહ્યું કે, લગ્નનો માહોલ છે, તો ખૂબ જ શુભકામનાઓ. વેન્યુ બદલવાનો કોઈ મતલબ નથી. સુશીલ મોદી ચિંતામુક્ત થઈને પહેલા નક્કી કરેલી જગ્યા પર જ લગ્નનો સમારોહ આયોજિત કરો. જોકે, તેજપ્રતાપે એ પણ આશંકા વ્યક્ત કરી કે, તેમને બદનામ કરવા માટે કેટલાક લોકો હંગામો પણ કરી શકે છે.