‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્માએ કડી તાલુકાનાં ટાંકીયા ગામની પ્રાથમિક શાળામાં નવા બનાવાયેલા શૌચાલયનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેઓએ બાળકોને ‘સ્વચ્છતા માં જ પ્રભુનો વાસ’ અંતર્ગત વિષય પર ઉદ્બોધન કર્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. દેવેન વર્માએ બાળકોને પોતાનાં ઘર થી લઈ સ્કૂલ તેમજ પોતાનાં ગામમાં સ્વચ્છતા મિશનમાં તેમનાથી થાય તેટલું યોગદાન આપવા માટે પણ આહ્વાન કર્યું હતું.