ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પૂર આવતા તેમની મુશ્કેલીના સમયમાં તેમને મદદરૂપ થવા માટે મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષકો તરફથી રૂ.૯૩૧૬૦૦/- તથા ટંકારા તાલુકાના શિક્ષકો તરફથી રૂ.૩૪૨૬૦૦/- રૂ. એકત્રિત કરીને મોરબી જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલને ગુજરાત રાજય સંધના ઉપપ્રમુખશ્રી શૈલેષભાઇ સાંણજા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખશ્રી મણીલાલ સરડવા, કોષાધ્યક્ષશ્રી નિતેષભાઇ રંગપડિયા, મોરબી સંધના પ્રમુખ શ્રી કે.પી.ઓડિયા,મહામંત્રી સી.એમ.કાનાણી, ટંકારા તાલુકા પ્રમુખ શ્રી મણીલાલ કાવર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, કંચનબેન બોડા, અનસોયાબેન ભુવા, મગનલાલ ઉજરીયા તથા સંદિપભાઈ આદ્રોજા એ સુપ્રત કરેલ છે.