નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જેતપુર ખાતે સૌ પ્રથમ ભાદર નદી પર બંધાનાર પુલનું સ્થળ પર પુજા વિધિ બાદ ખાતમુર્હુત કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ રૂ.૧૬.૨૪ કરોડના ખર્ચે બંધનાર પુલની વિગત જાણી હતી તેમજ પુલનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને તાકિદ કરી હતી સાથો સાથ પૂનઃ નિર્માણમાં કોઇ કચાસ ન રહી જાય તે અંગે કોન્ટ્રાકટરોને સુચના પણ આ તકે શ્રીનીતિનભાઇ પટેલે આપી હતી.