Aapnu Gujarat
Uncategorized

તા.૦૩/૦૯/૨૦૧૭ના રોજ રાજકોટ પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયા તા.૦૩/૦૯/૨૦૧૭ ના રોજ રાજકોટના પ્રવાસ છે. આ દરમ્યાન તેઓ રાજકોટ ખાતે  યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તા.૦૩/૦૯/૨૦૧૭ના રોજ રાજકોટ ખાતે વિવિધ ચાર જગ્યાએ ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરશે. સાંજે ૫.૩૦ વાગ્યે સરધાર ખાતે એન.સી.સી. ગુજરાત એકમ દ્વારા આયોજીત ‘નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પ’ના પુર્ણાહુતિ સમારંભમાં ઉપસ્થિત રહેશે.

રાજકોટ ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે હનુમાન ચોક, પેડક રોડ ખાતે ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરશે. ૧૧.૧૫ વાગ્યે વાણીયાવાડી, જલારામ ચોક ખાતે ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરશે. ૧૨.૩૦ વાગ્યે સ્વામીનારાયણ ચોક ખાતે ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરશે. બપોરે ૨.૦૦ વાગ્યે સ્વસ્તિક કોમ્પ્લેક્ષ, ૧૫૦ રીંગ રોડ ખાતે ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરશે. જયારે સાંજે ૫.૩૦ વાગ્યે સરધાર ખાતે એન.સી.સી. ગુજરાત એકમ દ્વારા આયોજીત ‘નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પ’ના પુર્ણાહુતિ સમારંભમાં ઉપસ્થિત રહેશે.

Related posts

ઉપલેટામાં ગંદકીનું સામ્રાજ્ય

editor

પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથીએ સાળંગપુરમાં ઉમટ્યો ભક્ત મહેરામણ

aapnugujarat

કેશોદનાં મંગલપુરમાં દલિત યુવાનને મારી નાંખવાની ધમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1