Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહાર પુર તાંડવ : વધુ ૨૬ના મોત સાથે મૃતાંક વધીને ૩૬૭

બિહારમાં પુર સંબંધિત બનાવોમાં વધુ ૨૬ લોકોના મોતની સાથે જ મોતનો આંકડો વધીને હવે ૩૬૭ ઉપર પહોંચી ગયો છે. વધુ ૨૬ લોકોના મોત થઇ ચુક્યા છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે બિહારમાં હાલત ખરાબ થઇ છે. બિહારમાં ૧.૪૬ કરોડથી વધુ લોકોને પુરની અસર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૬મી ઓગષ્ટના દિવસે પુરગ્રસ્ત વિસ્તારોનુ હવાઇ નિરીક્ષણ કરશે. બિહારમાં ૭.૬૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. હજુ ૧.૪૬ કરોડ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ૨૦૩ સ્ટેટ હાઈવેને નુકસાન થયું છે. ૩.૨૭ લાખ લોકોને ૧૩૩૬ રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. પટણાથી પ્રાપ્ત હેવાલ મુજબ બિહારના ૧૮ જિલ્લામાં ૧.૪૬ કરોડથી વધુ લોકોને માઠી અસર થઇ છે. પુરના તાંડવ બાદ મોટા ભાગની પરીક્ષા રદ કરવામા ંઆવી ચુકી છે. સાથે સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રોગચાળાને રોકવા માટે હવે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ઉત્તર બિહારમાં હાલત કફોડી છે. અહીં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે. સમસ્તીપુર ડિવિઝનમાં ટ્રેન સેવાને માઠી અસર થઇ છે.રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. ઇસ્ટ સેન્ટ્રલ રેલવે હેઠળ સમસ્તીપુર ડિવિઝનમાં ઘુટણ સુધી પાણી ભરાયેલા છે. રેલવે લાઇન અને સિગ્નલિંગ વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. પશ્ચિમી ચંપારન જિલ્લામાં ૬.૮૨ લાખ લોકોને અસર થઇ છે. અહીં ૩૬ લોકોના મોત થઇ ચુક્યા છે. અરરિયા જિલ્લામાં સૌથી વધુ ૭૫ લોકોના મોત થયા છે. સિતામઢીમાં ૩૬ લોકોના મોત થયા છે. કટિહારમાં ૨૬, પૂર્વ ચંપારન જિલ્લામાં ૧૯, મધુબાનીમાં ૨૨ લોકોના મોત થયા છે. કિશનગંજમાં ૨૩ લોકોના મોત થયા છે. દરભંગા અને માધેપુરામાં ૧૯-૧૯ લોકોના મોત થયા છે. સુપૌલમાં ૧૫, ગોપાલગંજમાં ૧૪, પુરણિયામાં ૯, મુઝફ્ફરપુરમાં સાત, ખગરિયામાં ૬, સારનમાં ૬, સહરસામાં ૪, સિઓહારમાં ચારના મોત થયા છે.
મોટી સંખ્યામાં લોકોને અસર પણ થઇ છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં ૧૩૫૮ રાહત કેમ્પ ચાલી રહ્યા છે. જેમાં ૩.૨૭ લાખ લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૨૮ ટીમો છે. જેમાં ૧૧૫૨ કર્મચારીઓ સામેલ છે. ૧૧૮ બોટ પણ છે.

Related posts

भारत में कोरोना के मामलों में आई कमी : 24 घंटे में 338 की मौत

editor

અયોધ્યા : રામ મંદિર માટે ૨૮ વર્ષ બાદ ફરી રથયાત્રા

aapnugujarat

બકસરમાં ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ

editor

Leave a Comment

UA-96247877-1