ગીર-સોમનાથ જિલ્લામાં ચાલતી રી-સરવેની કામગીરી અન્વયે સુત્રપાડા તાલુકાનાં ગામો માં રી-સરવે થયા બાદ એલ.પી.એમ. નોટીસ વિતરણ કરેલ છે. જે અન્વયે સુત્રપાડા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ સુધી વાંધા નિકાલ કાર્યક્રમ યોજાશે. આ નોટીસ સામે જે કોઈ ખાતેદારોને વાંધો હોય તેઓએ નિયત સ્થળે ઉપસ્થિત રહી વાંધાનો નિકાલ કરાવી લેવા ડીસ્ટ્રીકટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.