ગુજરાતમાં દિન દહાડે ચોરી, લૂંટફાટ, દુષ્કર્મ અને હત્યાના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગત મહિનાઓમાં એક બાદ એક યુવતી પર એક તરફી પ્રેમમાં ઘાતકી હત્યાની ઘટનાએ ગુજરાતને ઝંઝોળી નાખ્યું છે. વલસાડના ઉમરગામના દહાડ ગામે વિદ્યાર્થીનિ હિચકારી હત્યા કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીની ટ્યુશન જવા માટે ઘરેથી નીકળી હતી જે બાદ ત્રણ યુવકોએ તેનો પીછો કર્યો હતો. એકલતાનો લાભ લઈ કિશોરીને ઘેરી લીધી હતી અને બાદમાં મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.
જો કે પોલીસે તજવીજ હાથ ધરી હતી. પોલીસે ત્રણે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી જેલ હવાલે કરી પૂછપરછ આદરી છે. આપણે જણાવી દઈએ કે પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હત્યાની જાણ પરિવાર અને દહાડ ગામના લોકોને થતાં મોટી સંખ્યામાં ગામ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને ઘટનાને વખોડી કાઢી આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી હતી. પરિવારજનો તેમજ સંબંધીઓ લાડકવાયી દીકરીની હત્યાથી શોકમાં ગરકાવ થઈ ગયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાછલી પોસ્ટ