Aapnu Gujarat
ગુજરાત

હાલોલ:- ગજાપૂરા પાસેની કેનાલમા બોડેલી વિસ્તારના પ્રેમીપંખીડાની લાશ મળી આવતા ચકચાર.

કાદિર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના ગજાપુરા ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મંગળવારના રોજ 20 વર્ષીય યુવાન અને 17 વર્ષીય યુવતીના એકબીજાને ઓઢણીથી બાંધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગજાપુરાણી કેનાલમાંથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા બન્ને પ્રેમી પંખીડાઓના મૃતદેહને બહાર કાઢી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે બનાવની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના ગજાપુરા ગામે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવાન અને યુવતીના મૃતદેહ મંગળવારના રોજ જોવા મળતા બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ પોલીસને કરાઈ હતી જ્યારે બનાવ અંગેની જાણ થતા વડોદરા ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાંથી બન્નેના મૃતદેહને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી.જેમાં બોટ મારફતે ફાયર ફાઈટરનીની ટીમ દ્વારા કેનાલમાં ઉતરી પાણીમાંથી બન્નેના મૃતદેહો બહાર કાઢતા બન્નેના મૃતદેહો એકબીજા સાથે ઓઢણીથી બાંધેલ હાલતમાં લાંબા સમય સુધી પાણીમાં રહ્યા હોઈ બન્નેના શરીર પાણી ભરાઈ જવાથી ફૂલીને અંત્યત વિકૃત હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું જેમાં બન્ને યુવાન યુવતી હોવાનું બન્ને એકબીજાના પ્રેમમાં હોઈ બન્ને પ્રેમી પંખીડા એક બીજા સાથે ઓઢણી બાંધેલ હાલતમાં કેનાલમાં કુદી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.વડોદરા ફાયર બીગ્રેડની ટિમ દ્વારા બન્નેના મૃતદેહોને કેનાલમાંથી હાર કાઢવામાં આવતા હાલોલ રૂરલ પોલીસ દ્વારા બન્ને મૃતદેહોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બંનેના ઓળખની પ્રક્રિયા હાથ ધરાતા મૃતક યુવાન અને યુવતી બોડેલીના ગ્રામ્ય વિસ્તારોના હોવાની જાણકારી મળી હતી જેમાં બન્નેના પરિવારજનો આવી પહોંચતા બન્નેની સાચી ઓળખ થઈ હતી જેમાં મૃતક યુવાન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તાડકાછલા ગામે રહેતો મયુરકુમાર ભઈલાલ ભાઈ રાઠવા, ઉં. વર્ષ 20 અને યુવતી ચેતનાબેન લક્ષ્મણ ભાઈ તડવી ઉ.વર્ષ. 17,ગેંડીયા ગામ, તાલુકો બોડેલીની હોવાનું ખુલવા પામ્યું હતું જેમાં બન્ને યુવાન યુવતી એકબીજાને પ્રેમ કરતા હોઈ બંને પ્રેમી પંખીડાઓએ પરિવારજનો અને સમાજ તેમના સંબંધને સ્વીકારી નહીં એ બીકે સાથે જીવવા મરવાના કોલ લઈ બોડેલી ખાતેની કોઈ કેનાલમાં એકબીજાને ઓઢણી વડે બાંધી મોતનો ભૂસકો માર્યો હોવાનું પ્રાથમિક તબક્કે ખુલવા પામ્યું છે જેમાં બંને યુવાન યુવતી ગત તારીખ 17/04/2022 શનિવારના રોજથી પોતપોતાના ઘરેથી ગાયબ હોવાની પણ માહિતી મળવા પામી છે જેમાં બંને પ્રેમી પંખીડાઓએ બોડેલી નજીકની કોઈ કેનાલમાં કુદી આપઘાત કરી લેતા બંનેના મૃતદેહ દૂર સુધી તણાઈને હાલોલના ગજાપુરા ખાતેની કેનાલમાંથી મળી આવતા ફાયર બિગેડ વડોદરાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને પ્રેમી પંખીડાઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ગાંધીનગર દુષ્કર્મ કેસમાં આસારામને જેલમાં જ રહેવું પડશે

aapnugujarat

પંચમહાલ એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

editor

ઉનામાં ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઈની હત્યા કરી

editor

Leave a Comment

UA-96247877-1