પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે હતા, તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત થયેલા ખેડૂત સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે હાજરી આપી હતી.આ તકે તેમણે રાજ્યમાં સતત વધી રહેલા ખુટીયાના ત્રાસને લઈને પણ નિવેદન આપ્યું હતું તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર રખડતા ઢોરને લઈને નીતિ બનાવી ચૂકી છે અને આગામી દિવસોમાં રાજ્યની સરકાર તેના પર અમલ કરવા જઈ રહી છે નવી નીતિના અમલ મા આવવાથી સમગ્ર રાજ્યમાંથી રખડતા ઢોરનો ત્રાસ ઓછો થશે તેવો આશાવાદ ભાજપ પ્રમુખ આર પાટીલે વ્યક્ત કર્યો હતો.
વધુમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ગીર-સોમનાથ જિલ્લાની બંધ થયેલી ખાંડની મિલોને લઈને પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર ખાંડની મિલોને ફરીથી કઈ રીતે શરૂ કરી શકાય તેને લઈને ખૂબ જ ગંભીરતાથી વિચાર કરશે અને શક્ય હોય ત્યાં સુધી બંધ થયેલી ખાંડ મિલો ન ફરી એક વખત શરૂ કરવા અંગે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી વિચારશે વધુમાં આ વિસ્તારમાં પાકતી એકમાત્ર કેસર કેરીને પાક વીમા અંતર્ગત લાવવાની યોજના પણ રાજ્ય સરકારના વિચારણા હેઠળ છે જે આગામીદિવસોમાં કેન્દ્ર સરકાર સાથે યોગ્ય મસલત કર્યા બાદ કેરીના પાકને પણ પાક વીમા અંતર્ગત કઈ રીતે સામેલ કરી શકાય તેને લઈને પણ રાજ્ય સરકાર કોઇ અંતિમ નિર્ણય જાહેર કરશે