ડૉ નિસર્ગ પી શાહ દ્વારા દર્દીના નાના મગજની પાસે આવેલ બીજા નંબરના મણકાના ફ્રેકચરની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ખૂબ દુર્લભ અને હજારોમાં એક ગણાય એવી મુશ્કેલ સર્જરી આજે સફળતાપૂર્વક પાર પાડવામાં મને ઈશ્વર અને મારા ગુરુઓના આશીર્વાદ મળેલ છે. દર્દીએ 15 દિવસ સુધી રાહ જોઈ તથા આખા ભાવનગર શહેરમાં પોતાની તકલીફના ઓપરેશન માટે શોધ કરી હતી.
આ સર્જરી સમગ્ર ભાવનગરમાં અત્યાર સુધી ફક્ત બીજી વાર આજે કરવામાં આવી છે તથા ભાવનગરના જ ઓર્થોપેડીક સર્જન દ્વારા કરાયેલ હોય તેવો આ સૌપ્રથમ કેસ છે
દર્દીના નાના મગજની પાસે આવેલ બીજા નંબરના મણકાના ફ્રેકચરની સફળતાપૂર્વક સર્જરી આજે કરી દર્દી ને આજે જ ચાલતા કરવામાં મને સાથ આપનાર શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામના સ્ટાફ, તથા એનેસ્થેટિસ્ટ ડૉ સમીરભાઈ પરમારનો હું આભાર માનું છું.