Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરિંદર સિંહે કરી નવી પાર્ટી બનાવવાની જાહેરાત

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસનું ૫ વર્ષ જૂનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમના કાર્યાલયમાં કેટલું કામ થયું છે. તેમણે કહ્યું કે, પંજાબમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. તેમણે મેનિફેસ્ટોનું ૯૨ ટકા કામ પૂર્ણ કર્યું છે અને અમુક કામ એવા હતા જે પૂરા નહોતા થઈ શકતા.પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. જાેકે તેમણે કહ્યું કે, અત્યારે પાર્ટીનું નામ નહીં કહી શકાય કારણ કે, હાલ મને પણ નથી ખબર. વકીલો ચૂંટણી પંચ સાથે વાત કરી રહ્યા છે અને જ્યારે આયોગ સિમ્બોલ અને પાર્ટીનું નામ કન્ફર્મ કરી આપશે ત્યાર બાદ તમારા સાથે શેર કરવામાં આવશે. આ ઉપરાંત કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ હાઈકમાનને પણ જવાબ આપ્યો હતો. ૧૮ પોઈન્ટ પ્રોગ્રામ પર તેમણે કહ્યું કે, અમે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેસીને બતાવી દીધું હતું કે, શું કામ કર્યું છે.

Related posts

લોકસભા ચૂંટણી પેહલા ફેસબૂકે કોંગ્રેસ સંબંધિત ૬૮૭ પેજ અને લિંક હટાવ્યા

aapnugujarat

अमरनाथ यात्रा : 5,124 श्रद्धालुओं का एक और जत्था कड़ी सुरक्षा के बीच रवाना

aapnugujarat

कांग्रेस-कम्युनिस्ट-टीएमसी नहीं कर सकते हैं भला : शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1