ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
સમગ્ર ગુજરાતમાં ઈગ્રામ વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં ગ્રામ્ય કક્ષાએ લોકોને કોમ્યુટર રાઈઝ તમાંમ પ્રકારની જેમ કે સાતબારના ઉતારા, જન્મ મરણના પ્રમાણપત્રો, તેમજ ખેતી વિષયક ખેડુતોને આ સેન્ટર ખાતેથી સુવિધાઓ ઉપલબ્ધ વીસીઈ દ્રારા આપવામાં આવી રહી છે જેમાં આ કામ કરતા વિસીઈને પગાર નથી પણ કમીશન આપવામાં આવે છે ત્યારે વીસીઈ મંડળ દ્વારા સરકાર સામે આ બાબતે રોષ વ્યક્ત કરતા હોય તેમ લાગી રહ્યું છે કેમકે આવતી 21/3/21 ના રોજ ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ ની સાવણી ખાતે એક દિવસીય વિરોધ પ્રદર્શન કરશે જેમાં વીસીઈને કાયમી કરવા, કમીશન પ્રથા કાઢી અને પગાર આપવો જેવી વિગેરે માગણીઓ સંદર્ભે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી જેમાં મંડળના સદસ્ય કિશનભાઇ રાઠોડ, સંજયભાઈ જાદવ, દિલીપ વાઘેલા, કિરીટસિંહ ખેર સહિતના વીસીઈ હાજર રહ્યા હતા.