ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
દિવાળીના તહેવારો ને લઈને સુરેન્દ્રનગર થી અમદાવાદ- રાજકોટની વધારાની એસટી બસો દોડાવવાની માંગ ઉઠી.ડીઝલના ભાવ વધતા ખાનગી બસોના ભાડાપણ વધ્યા છે.લોકોની અવરજવર વધવાને લઈને ધનતેરસથી લાભપાંચમ સુધી એક્સ્ટ્રા બસો શરૂ કરવાની માગણી ઉઠી.સુરેન્દ્રનગરમાં ધનતેરસથી લાભપાંચમ સુધી રજાનો માહોલ હોવાથી એસ.ટી.બસોમાં મુસાફરોનો ઘસારો ઘણો વધી જાય છે આ કારણોસર વધારાની એસટી બસ સેવાઓ દોડાવવા માંગ કરવામાં આવી છે.