Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત યુદ્ધ કરે તો પરાજિત જ થશે : China

ચીનની નજર ભારતની જમીન પચાવી પાડવાની છે, પરંતુ સૈન્ય વાટાઘાટોમાં ભારતે બતાવેલી મક્કમતાથી ચીન ધુંધવાયું છે. ભારત અને ચીનની સૈન્ય વાટાઘાટો નિષ્ફળ ગયાના બીજા દિવસે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ ભારતને લુખ્ખી ધમકી આપતું હોય તેમ એક લેખમાં કહ્યું કે, ભારતે એક વાત સ્પષ્ટ સમજી લેવી જાેઈએ કે તેને જે પ્રકારની સરહદ જાેઈએ છે તે તેને મળી શકે તેમ નથી. વધુમાં ભારત યુદ્ધ શરૂ કરશે તો નિશ્ચિતપણે તેણે પરાજયનો સામનો કરવો પડશે. અખબારે કહ્યું કે ગલવાન ઘાટીનો હિંસક સંઘર્ષ એ બાબતનો પુરાવો છે કે કોઈપણ દેશ તેની સંપ્રભૂતાનું રક્ષણ કરવામાંથી પીછે હઠ નહીં કરે. જાે ભારત ચીનના દૃઢ સંકલ્પને ઓછો આંકતો હોય તો તેનાથી તેનો ચહેરો ખૂલ્લો પડી જશે. ભારત સરહદ પર લાંબા સમય સુધી તણાવપૂર્ણ સ્થિતિ જાળવી રાખશે તો ચીન પણ તેના માટે તૈયાર છે. ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચીને સરહદની સ્થિતિને શાંત કરવા માટે જબરજસ્ત પ્રયત્નો કર્યા છે. ચીને કહ્યું કે ભારતે અનેક એવી માગો મૂકી છે, જે વાસ્તવિક નથી. આ કારણોથી વાતચીતમાં મુશ્કેલીઓ આવી રહી છે. પરંતુ ભારતે સતત કહ્યું છે કે ચીને સરહદ પર સ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો. ગલવાનમાં થયેલા હિંસક સંઘર્ષ પછી બંને દેશો વચ્ચે કોઈ હિંસક અથડામણ નથી થઈ, પરંતુ સરહદ પર લગભગ દોઢ વર્ષથી તણાવપૂર્ણ સ્થિતિ છે.
બીજીબાજુ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં ભારત અને ચીન વચ્ચેનો તણાવ વધુ ગંભીર બની શકે છે. દેશના અગ્રણી રણનીતિ વિશ્લેષક બ્રહ્મા ચેલાનીએ લખ્યું છે કે આખા હિંદ-પ્રશાંતમાં અત્યારે હિમાલયનું ક્ષેત્ર ખતરનાક બની ગયું છે. ચીન તરફથી સરહદમાં ઘૂસણખોરી કરવાના ૧૭ મહિના પછી ભારતની ધીરજ પણ ઘટી રહી છે, કારણ કે ચીન વાટાઘાટોના બહાને જમીન પર કબજાે કરવા માગે છે.ચેલાનીએ પણ કહ્યું કે ભારતે પહેલી વખત ચીનની આક્રમક્તાને યોગ્ય રીતે રજૂ કરી છે. ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે કહ્યું કે વાટાઘાટોમાં અવરોધો સ્પષ્ટપણે જાેવા મળી રહ્યા છે. વાતાવરણ ઘણું જ ખરાબ થઈ ગયું છે. ભારતે દલાઈ લામા અને તાઈવાન અંગે સમજી વિચારીને રણનીતિ સાથે આગળ વધવાની જરૂર છે. અન્ય નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ વખતે શિયાળાની ઠંડીનું વાતાવરણ ભારત અને ચીનના સંબંધોની દૃષ્ટિએ ગયા વર્ષ કરતાં વધુ ઠંડુ રહી શકે છે. ચોર કોટવાળને ધમકાવે તેવું વલણ અપનાવતાં ગ્લોબલ ટાઈમ્સે ભારતને તકવાદી ગણાવ્યું છે. તેણે લખ્યું છે નવી દિલ્હીને લાગે છે કે ચીનને ભારતની જરૂર છે, કારણ કે બેઈજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં ઘટાડો થયો છે. એવામાં બેઈજિંગ સરહદ મુદ્દે તેનું વલણ નરમ કરી શકે છે, પરંતુ ભારતે એ સમજવાની જરૂર છે કે સરહદના મુદ્દા બધા દેશોના ગૌરવ સાથે જાેડાયેલા હોય છે. અખબારે કહ્યું કે સરહદ વિવાદો સાથે જ ભારત હંમેશા અન્ય મુદ્દાઓ પર અયોગ્ય માગણીઓ કરે છે. ભારત સાથે સરહદ વિવાદ અંગે કોર કમાન્ડર સ્તરની ૧૩મા તબક્કાની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી ચીન હવે ધાક-ધમકી પર ઉતરી આવ્યું છે. ચીની અખબારે તેની સરકારને ભારત સાથે ડીલ કરવા માટે બે સૂચન કર્યા છે. પહેલી વાત તો એ કે ભારત ગમે તેટલો પ્રયત્ન કરે, ચીની ક્ષેત્ર ચીનના જ છે અને અમે તે ક્યારેય નહીં છોડીએ. ધીરજ રાખવી બીજી વાત છે. બદલાતી પરિસ્થિતિને જાેતાં ચીને દરેક પ્રકારના સૈન્ય સંઘર્ષ માટે તૈયાર રહેવું જાેઈએ પરંતુ શાંતી જાળવી રાખવાનો પૂરો પ્રયત્ન કરવો જાેઈએ.

Related posts

आधार कानून तोड़ने पर लगेगा 1 करोड़ का जुर्माना

aapnugujarat

ભારતને ઓક્ટો. -ડિસે.માં એસ-૪૦૦ મિસાઈલનો પહેલો જથ્થો મળશે

editor

કોલકાતાની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં ચાર વર્ષીય માસૂમનું યૌન ઉત્પીડન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1