કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ હતા. હવે કોરોનાના દૈનિક કેસો ઘટીને હવે સાવ ઓછા થયા હોવાથી આ વર્ષે ચોક્કસ નિયમો સાથે નવરાત્રિની ઉજવણી કરવા માટે છૂટ આપવામાં આવી છે. એટલે કોરોના મહામારી દેશ અને દુનિયામાંથી નાબૂદ થાય તેવી પ્રાર્થના સાથે ગરબે ઘૂમાવા અત્યારથી ખૈલેયાઓએ તૈયારીઓ શરૃ કરી દીધી છે. ગરબાની તૈયારી કરવા યુવતીઓએ માણેકચોક ખાતે અવનવી જ્વેલરી અને પાનકોરનાકા સહિતના બજારોમાં ગરબાના ડ્રેસની ખરીદી કરવાનું અત્યારથી શરૃ કરી દીધું છે. કોરોના મહામારીના પ્રતિબંધની જંજીરો છૂટતાં ગરબે ઘુમવા ખૈલેયાઓમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે.