ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર આવ્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. જેના માટે હાલ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. રાજભવન ખાતે થોડીવાર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યપાલનો સમય માંગ્યો તે બાદથી જ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. આનાપગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે.
આગળની પોસ્ટ