ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
લીંબડી તાલુકાના ટોકરાળા ગામના રહીશ અને લીંબડી શહેર માં મોબાઈલની દુકાન ધરાવતા બાબુલાલ અણીયાળીયા જેઓ લોકોની સેવા કરવાની ખુબજ ચાહના ધરાવે છે, ત્યારે આજે જ્યારે પોતાનો 30 મો જન્મ દિવસ નિમિતે લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજી પોતાનો 30 મોં જન્મ દિવસ ખુબજસેવાકીય રીતે અને એક અનોખી રીતે ઉજવ્યો હતો. પાલડીના ઇન્ડિયન રેડક્રોસ તથા લીંબડી મોટા મંદિર અને આર્ટ ઓફ લીવીંગ ના સહયોગ થી મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું . આ મહા રક્તદાન શિબિરમાં સાધુ, મહંતો, રાજકીય આગેવાનો, દરેક સમાજ ના કાર્યકરો, મિત્રો મોટી સંખ્યા ઉપસ્થિત રહિયા હતા.