સન્ની વાઘેલા, સુરેન્દ્રનગર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ છે, ત્યારે ધ્રાગધ્રાના પયાઁવરણ પ્રેમીઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિન નિમિતે મયુર બાગ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમા સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ આવે અને બાગ-બગીચા અને જાહેર જગ્યાઓ સ્વચ્છ રહે અને પ્લાસ્ટિક મુક્ત શહેર બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સ્વચ્છતાના જન આંદોલનની આગેવાની કરતાં પ્રધાનમંત્રીએ લોકોને આહ્વાન કર્યું હતુ જેને સિધ્ધ કરવા ધ્રાંગધ્રા શહેરના પયાઁવરણપ્રેમી દ્વારા સફાઈ અભિયાન શરૂ કર્યું છે