Aapnu Gujarat
ગુજરાત

નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા : HARDIK PATEL

હાર્દિક પટેલે અન્ય એક ટ્‌વીટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું છે. ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં અસફળ રહ્યું છે. ઓક્સિજનની તંગી, લોકોના મોત, સ્મશાનોની તસવીરોથી જનતા નારાજ છે. અસલી પરિવર્તન આગામી વર્ષે ચૂંટણીઓ બાદ આવશે જ્યારે જનતા ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે.ગુજરાતના ઈતિહાસમાં આજે પ્રથમ વખત એક સાથે પાંચ પાંચ મંત્રીઓના શપથગ્રહણ થઈ રહ્યા છે. રાજયમાં પટેલ સરકારના નવા મંત્રીમંડળનો આજે શપથગ્રહણ સમારંભ યોજાઈ રહ્યો છે. જેમાં નો રિપીટ થિયરી અંતર્ગત સીનિયર નેતાઓને પડતા મુકાયા છે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. અગાઉની રૂપાણી સરકારમાં રહેલા તમામ સીનિયર મંત્રીઓના પત્તા કપાઈ ગયા છે. આ કાર્યવાહીમાં ભાજપના મોટા માથા અને ખાસ કરીને નીતિન પટેલ સહિત રાજ્યના મુખ્યમંત્રી રહેલા એવા વિજય રૂપાણી ખુદ નારાજ હોવાની વાતો વહેતી થઈ હતી. નારાજ નેતાઓને મનાવવા માટે રીતસરના મનાવવા પડ્યા હતા. જેના માટે થઈને ગતરોજ જે શપથગ્રહણ સમારંભ યોજાવાનો હતો, તે મુલતવી રાખવો પડ્યો હતો. નારાજ નેતાઓ આજે ક્યાં ફીટ થઈ ગયા છે, તે કોઈ નથી જાણતા, ઘીના ઠામમાં ઘી ઠલવાઈ ગયું હોય તેમ ભારતીય જનતા પાર્ટીએ ઉતાવળા પગલે એક સાથે પાંચ પાંચ મંત્રીઓના શપથ લેવડાવી રહ્યા છે. એક બાજૂ નારાજ મંત્રીઓ ક્યાંક બળવો ન કરે, તે માટે થઈને ફટાફટ આ કાર્યક્રમ પતાવી આજે સાંજે કેબિનેટની બેઠક પણ બોલાવી છે. જાે કે, એક એવી અફવા પણ ફેલાઈ હતી કે, નારાજ નીતિન પટેલ છે અને તેમના સંપર્કમાં ૧૨થી ૧૪ ધારાસભ્યો હોવાની વાત ફેલાઈ હતી, તેઓ બળવો કરી શકે છે તેમ પણ હવા ફેલાઈ હતી. જાે કે આ વાતમાં કેટલો દમ છે એ તો આવનારો સમય બતાવશે, પણ હાલ તો નીતિન પટેલ ખુદ શપથગ્રહણ સમારંભમાં સ્ટેજ પર પહોંચ્યા છે. આ બાબતનો ફાયદો ઉઠાવીને હાર્દિક પટેલે મોટુ નિવેદન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જામનગરમાંથી નિવેદન આપ્યુ છે કે, નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે. અગાઉ પણ હાર્દિક પટેલે સરકારમાં જે સખળડખળ ચાલી રહી હતી તેને લઈને નિવેદન આપતા જણાવ્યુ હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, ૧૫ મહિના બાદ યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને ૪૩ ટકા મત મળી રહ્યા છે અને ૯૬-૧૦૦ બેઠકો મળી રહી છે. જ્યારે ભાજપને ૩૮ ટકા મત અને ૮૦-૮૪ બેઠક મળી રહી છે. આપને ૩ ટકા અને મીમને ૧ ટકા મત મળી રહ્યા છે.

Related posts

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના દરોમાં ઘટાડો

editor

ગુજરાતની સરહદને આવરી લેતા પરિક્રમા પથ પ્રોજેક્ટના શ્રી ગણેશ, 2 હજાર કરોડના ખર્ચે થશે તૈયાર

aapnugujarat

સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત વોટર ATM  શરૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1