ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
હાલ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં જન સંવેદના યાત્રા દ્વારા કોરોના મહામારીમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો યોજી રહી છે ત્યારે ચુડા તાલુકાના મોજીદડ ગામના પૂર્વ સરપંચ બુધાભાઈ પુરબીયા સહિત 50થી વધુ લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.આ પ્રસંગે કોરોનામાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.હાલ મોંઘવારીના મારથી લોકો મરી રહ્યા છે જેથી સામાન્ય માનવીને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે. સમગ્ર ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પોતાની જીત તરફ આગળ વધશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ચુડા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ કીર્તિરાજસિંહ રાણા, મહામંત્રી મેઘરાજસિંહ રાણા તથા મંત્રી દિનેશભાઈ રૂદાતલા ઉપસ્થિત રહ્યા હતા.