રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને પગલે સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી થઈ હતી.ત્યારે આ વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાયતા માટે રૂપાણી સરકાર દ્વારા ગુજરાત સરકાર તરફ થી રૂપિયા ચાર લાખની સહાય જાહેર કરાઈ હતી.ત્યારે વાવાઝોડા પર રી-સર્વે, ખેડૂતોને પૂરતા વળતર આપવા આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસ દ્વારા બેઠક બાદ ધરણા યોજવામાં આવ્યા હતા પરંતુ પોલીસ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા અટકાયત કરતા કાર્યકરો અનર પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં નેતા પરેશ ધાનાણીને માથામાં ઈજા થઈ હતી.અન્ય ધારાસભ્યોની અટકાયત કરાઈ હતી.