Aapnu Gujarat
ગુજરાત

સુરત : બળાત્કારના કેસમાં સ્વામીનારાયણ સાધુની ધરપકડ

કતારગામમાં ૨૦ વર્ષીય યુવતીની બળાત્કારની ફરિયાદને આધારે પોલીસે ૨૪ વર્ષીય સ્વામીનારાયણ સાધૂ તારણ સ્વામીની ધરપકડ કરી છે અને તેમને મેડિકલ પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા છે. યુવતીએ બળાત્કારની ફરિયાદ કર્યા પછી ગઈ કાલે રાત્રે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું.યુવતીની ફરિયાદ છે કે, ડભોલા સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતાં તારણ સ્વામીએ યુવતીને સ્ટોરરૂમમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી પર પંદર દિવસ પહેલા અને પછી મંગળવારે બપોરે બીજીવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તારણસ્વામીની ધરપકડ કરી લીધી છે. પોલીસ અને એફએસએલની ટીમ જ્યાં બળાત્કાર થયો હોવાનો આક્ષેપ લગાવાયો છે, ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સ્ટોરરૂમ પાસેથી પોલીસને કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા છે.બળાત્કારની ફરિયાદ પછી ડભોલી સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી જયેશ ગોયાણીએ જણાવ્યું હતું કે, સ્વામી પર ખોટો આક્ષેપ લગાવ્યો છે. અમે હાલ પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે. પોલીસ તપાસ પછી દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.
ટ્રસ્ટીએ એમ પણ જણાવ્યું હતું કે, યુવતીના આક્ષેપ પછી અમે મંદિરના સીસીટીવીની તપાસ કરી હતી, પરંતુ તેમાં કંઇ જ શંકાસ્પદ મળી આવ્યું નથી. જેથી તારણ સ્વામી એકદમ નિર્દોષ હોવાનું અમને લાગી રહ્યું છે. પોલીસ તપાસ પછી બધું જ સ્પષ્ટ થઈ જશે.

Related posts

नर्मदा बांध के २४ दरवाजे पहली बार ४.१ मीटर तक खोले गये

aapnugujarat

કડીના શિક્ષક દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા પ્રાકૃતિક માનવ કલ્યાણ પ્રાર્થના તથા પ્રદક્ષિણા યજ્ઞ યોજાયો

editor

રાજપીપળા પાલિકાનાં સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1